મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત


SHARE













મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત

 મોરબી શાકમાર્કેટનાં પાછળના વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થવાનો વર્ષોથી પ્રશ્ન હતો જો કે, પડતર પડેલો આ પ્રશ્ન ઉકેલતો ન હતો તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પાલિકાની વર્તમાન બોડી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને જુના નાળાઓ સાફ કરવા, સમારકામ તથા નવી ભૂગર્ભ પાઇપલાઇન નાખવાંની કામગીરીનું પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરેલ છે. આ તકે ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાચેરમેન ભાવિકભાઈ જારીયા,ચેરમેન ભાનુબેન નગવાડિયા, ચેરમેન જસવંતિબેન સોનગરા, ચેરમેન આશીફભાઈ ઘાંચી, ચેરમેન મમતાબેન ધીરેનભાઈ ઠકાર, સદસ્ય પુષ્પાબેન જયસુખભાઈ સોનગરા, ભગવનજીભાઈ કંજારીયા, નિર્મળાબેન મોરાજીભાઈ કંજારીયા, અનોપસિંહ જાડેજા, કે.કે. પરમાર અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા અને આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ખોદકામને કારણે બને તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે બાબતનું ધ્યાન રાખવામા આવશે અને વહેલી તકે લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી વધશે તેવુ પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારએ જણાવ્યુ છે






Latest News