ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત


SHARE







મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત

 મોરબી શાકમાર્કેટનાં પાછળના વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થવાનો વર્ષોથી પ્રશ્ન હતો જો કે, પડતર પડેલો આ પ્રશ્ન ઉકેલતો ન હતો તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પાલિકાની વર્તમાન બોડી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને જુના નાળાઓ સાફ કરવા, સમારકામ તથા નવી ભૂગર્ભ પાઇપલાઇન નાખવાંની કામગીરીનું પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરેલ છે. આ તકે ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાચેરમેન ભાવિકભાઈ જારીયા,ચેરમેન ભાનુબેન નગવાડિયા, ચેરમેન જસવંતિબેન સોનગરા, ચેરમેન આશીફભાઈ ઘાંચી, ચેરમેન મમતાબેન ધીરેનભાઈ ઠકાર, સદસ્ય પુષ્પાબેન જયસુખભાઈ સોનગરા, ભગવનજીભાઈ કંજારીયા, નિર્મળાબેન મોરાજીભાઈ કંજારીયા, અનોપસિંહ જાડેજા, કે.કે. પરમાર અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા અને આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ખોદકામને કારણે બને તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે બાબતનું ધ્યાન રાખવામા આવશે અને વહેલી તકે લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી વધશે તેવુ પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારએ જણાવ્યુ છે






Latest News