મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE





ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ જિનિંગ મિલની ઓરડીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં બાજુમાં રહેતા યુવાન સાથે મનમેળ થઈ ગયો હતો અને યુવાન તેના વતનમાં જતો હોય તે સગીરાને પણ તેની સાથે જવું હતું જોકે સગીરાની માતાએ તેને સાથે જવાની ના પડી હતી જેથી યુવાને તેના વતનમાં જતો રહ્યો હતો અને સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓસન કોટન જીનિંગ મિલની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી દેવિકાબેન સરદારભાઈ મેડા (૩૫) નામની મહિલાએ તેની દીકરી સુનીતાબેન સરદારભાઈ મેડા (૧૭)એ જિનિંગ મિલના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક સુનિતાબેનને તેઓની ઓરડીની બાજુમાં રહેતા અને ત્યાં ફીટરનું કામ કરતા રવિકુમાર નામના વ્યક્તિ સાથે મનમેળ હતો અને રવિકુમાર પોતાના વતનમાં જતો હોય મરણ જનાર સગીરાને તેની સાથે જવું હતું ત્યારે તેની માતા દેવિકાબેને તેને જવાની ના પાડી હતી અને તારી ઉંમર નાની છે રવિકુમાર સાથે તારે ન જવાય તેવું કહ્યું હતું જેથી રવિકુમાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ સગીરાને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News