વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડને સીસી રોડ બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકને સનાળા રોડે ડાયવર્ટ કરાયો


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો સહિતના લોકોને ઠેબા ખાવા પડતા હતા જોકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા અગાઉ ચોમાસા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મોરબીના અનેક રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવનાર છે દિવાળી પછી અને તેના જ ભાગરૂપે જુદા જુદા વિસ્તારોની અંદર હાલમાં રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા પાસેથી એટલે કે ગાંધી ચોક થી લઈને રવાપર રોડે બાપાસીતારામ ચોકડી સુધી છે સીસી રસ્તા નું કામ મંજુર થયું છે તે રોડ બનાવવા માટેની કામગીરી હાલમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં ગાંધી ચોક પાસેથી રવાપર રોડ બાજુ જવાનું છે તેને બંધ કરીને જેસીબી વડે ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને ઝડપથી આ રસ્તો નું કામ થાય તેના માટે થઈને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે જોકે રવાપર રોડ બાજુ અત્યાર સુધી જે ટ્રાફિક જતો હતો તે ટ્રાફિકને હાલમાં સનાળા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને સનાળા રોડ ઉપરથી જ વાહન ચાલકોને આવક જાવક કરવાની રહેશે જેથી કરીને આગામી સમયમાં ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને તંત્ર દ્વારા હાલમાં શનાળા રોડ ઉપર જે ટ્રાફિક ડાયવર્ટ થયો છે તેને જેલ રોડ ઉપર થઈને ટ્રાફિકને ડ્રાઇવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત રહે તેવી લોકોની લાગણી છે






Latest News