ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

BoycottMaldives: મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા માલદિવનું બુકિંગ બંધ, લક્ષદ્વિપ-અંદામન નિકોબાર માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ


SHARE







BoycottMaldives: મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા માલદિવનું બુકિંગ બંધ, લક્ષદ્વિપ-અંદામન નિકોબાર માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ

થોડા દિવસો પહેલા માલદિવમાં સરકાર બદલાયેલ છે. આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી જણાયેલ છે. ત્યાંની સરકારે જાહેર કર્યું હતું કે માલદિવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં આવશે અને માલદિવના રાષ્ટ્રપ્રમુખે ભારત વિરોધી ગતિવિધિ કરતા દેશો સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું છે જેથી ભારતને નુકસાન કરી શકાય છે

થોડા દિવસો પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્રિપની મુલાકાતે ગયા હતા અને ત્યાંના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદિવના અમુક રાજનેતા અને સરકારના પદાધિકારીઓને ગમી ન હતી. જેથી ત્યાંના ૩ મંત્રીઓએ ભારત તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રીએ તો સોશિયલ મીડિયામાં એક ફોટો મુકીને ભારત તેમજ ભારતના નાગરિકોની ખરાબ મજાક કરેલી છે. આવી રીતે ભારતને ખરાબ ચિતરવાની બાબતોનો મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના દરેક સભ્યો વિરોધ કરે છે અને કાલથી સોશિઅલ મીડિયામાં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના દરેક એજન્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક એજન્ટો માલદિવનું બુકિંગ નહિ કરે. આ ઉપરાંત લક્ષદ્વિપ અને અંદામન - નિકોબારના બુકિંગ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપશે જેથી ભારતના બીચ ટુરિઝમને પ્રમોટ કરી શકાશે






Latest News