વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા


SHARE











મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા

મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીના ભાણેજની પત્ની સાથે આરોપી મનસુખ ખીમાભાઈને આડા સંબંધ હોય જેથી ફરિયાદીનો ભાણેજ (મરણ જનાર) આરોપીના ઘરે બોલાવવા જતા અન્ય આરોપીઓએ ફરિયાદીના ભાણેજને પકડી ઢીકાપાટુનો માર મારીને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.જે બનાવ બાબતે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ મનસુખ ખીમાભાઈ, જયશ્રીબેન મનસુખભાઈ અને સામજીભાઇ ખીમાભાઈની ધરપકડ કરી હતી.

સદરહું કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા રોકાયેલ હતા જેમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો તેમના મૌખિક પુરાવાઓમાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનોને સમર્થન આપેલ નથી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ઉપરોકત કેસમાં આરોપી તરફેથી એડ.જીતેન અગેચણીયા, સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, ભુવનેશભાઈ શાહી, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડિયા અને રવિ ચાવડા રોકાયેલ હતા.






Latest News