મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા


SHARE







મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા

મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીના ભાણેજની પત્ની સાથે આરોપી મનસુખ ખીમાભાઈને આડા સંબંધ હોય જેથી ફરિયાદીનો ભાણેજ (મરણ જનાર) આરોપીના ઘરે બોલાવવા જતા અન્ય આરોપીઓએ ફરિયાદીના ભાણેજને પકડી ઢીકાપાટુનો માર મારીને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.જે બનાવ બાબતે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ મનસુખ ખીમાભાઈ, જયશ્રીબેન મનસુખભાઈ અને સામજીભાઇ ખીમાભાઈની ધરપકડ કરી હતી.

સદરહું કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા રોકાયેલ હતા જેમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો તેમના મૌખિક પુરાવાઓમાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનોને સમર્થન આપેલ નથી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ઉપરોકત કેસમાં આરોપી તરફેથી એડ.જીતેન અગેચણીયા, સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, ભુવનેશભાઈ શાહી, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડિયા અને રવિ ચાવડા રોકાયેલ હતા.






Latest News