મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE





ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સો પાસેથી ૨.૪૦ લાખ વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ દિલીપભાઈ અમરશીભાઈ જાદવને પૈસાની જરૂર હતી ત્યારે ઘનશ્યામસિંહ પાસેથી બે લાખ રૂપિયા અને દિલીપભાઈ પાસેથી ૪૦ હજાર આમ કુલ મળીને ૨.૪૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી બંને શખ્સો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગાળો આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પતિ દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ફરિયાદી મહિલાને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News