મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ કાંટે મહિલાને તેના જેઠે માર મારતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં


SHARE





મોરબીના ભડીયાદ કાંટે મહિલાને તેના જેઠે માર મારતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

મોરબી શહેરના ભડીયાદ કાંટા પાસે આવેલ સનરાઈઝ સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને તેના જેઠે માર માર્યો હોવાથી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર ભડિયાદ કાંટા પાસે આવેલ સનરાઈઝ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મંજુબેન ડાયાભાઈ (૫૦) નામની મહિલાને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને તેના જેઠે સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી તે બનાવમાં તેના જેઠે તેને માર્યો હોવાથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી નજીકના વનાળીયા ગામે આવેલ રામજી મંદિર પાસે રહેતા શાંતિલાલ પરસોતમભાઈ નકુમ (૬૦) રાત્રિના સમયે દુકાન પાસે બેઠા હતા ત્યારે ત્યાં અજાણ્યા લોકોએ આવીને તેને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર રહેતા ફરીદાબેન મનસુખભાઈ પંજવાણી (૪૧) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબી શહેરના સામેકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે બાઇકમાં પાછળના ભાગે બેઠેલા ફરીદાબેન પંજવાણીને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News