મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE





મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર પાસેના મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૧૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં મફતીયાપરામાં આવેલ માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ભગવાનજીભાઈ જેરામભાઈ સાલાણી (ઉમર ૩૫), રાજેશભાઈ મગનભાઈ સાલાણી (ઉંમર ૩૦) અને રવજીભાઈ જેરામભાઈ સાલાણી (૪૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૧૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર રહેતા પિયુષભાઈ બાબુભાઈ કુંવરિયા જાતે કોળી (ઉમર ૩૮) ને મારામારીના બનાવવામાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્કમાં રહેતા જેરામભાઈ પરસોતમભાઈ અંજારિયા (ઉંમર ૬૦) ગઇકાલે સવારના આઠ વાગ્યાના અરસામાં નવલખી રોડ ઉપર બહુચર ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેઓને ઈજા થયેલ હોવાથી જેરામભાઈ અંજારિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિજયભાઈ રામજીભાઈ પાચીયા (ઉમર ૩૪) નામના યુવાનને ઇજાઑ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News