મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી


SHARE







માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી

મોરબીના ઉદ્યોગકારોની માઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, એક પછી એક માઠા સમાચારો સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગેસ અને કોલસાની તો રામાયણ ચાલી જ રહી છે તેવામાં આગામી સમયમાં વીજળી એટ્લે કે ઇલેક્ટ્રીકસિટીની કટોકટી સામે આવી રહી છે જેથી કરીને કારખાનાના કારખાનેદારોને કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે

હાલમાં પી.જી.વી.સી.એલ.નાં અધિક મુખ્ય ઈજનેર વી.એલ.ડોબરીયાએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકીને મોરબીના ઉદ્યોગકારો સહિતના વીજ કંપનીના ગ્રાહકોને વીજ સપ્લાઈની કટોકટીના એંધાણના સંકેત આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને લીધે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદ અંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજ ખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખીને પી.જી.વી.સી.એલ. મોરબીના ગ્રાહકોને વીજ જોડાણમાં જે કરારિત વીજ ભાર છે તેની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા માટે અને બિન જરૂરી વીજ વપરાશ એટલે કે વિજ વેડફાટ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે અને વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. અને જો કોઈ ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News