હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીમાં પ્રાથમિક સુવિધાને લગતી કોઈપણ સમસ્યા હોય તો ચક્કાજામ કરવો ફરજિયાત થઈ ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તેઓના વિસ્તારની અંદર ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલા રહે છે અને કચરો તથા ગંદકી હોય છે જેથી મચ્છરમાં ઉપદ્રવ થાય છે આ બાબતે અવારનવાર મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ના છૂટકે મહિલા સહિતના લોકો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો 

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજની તારીખે પણ મોરબીમાં લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝાંખી રહ્યા છે અને ખાસ કરીને ચોમાસામાં મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર જે સમસ્યાઓ વર્ષો જૂની છે તેને ઉકેલવા માટે આજ દિવસ સુધી કોઈ તસ્દી લેવામાં આવી નથી જેથી હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અગાઉ મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો માટે મહિલાઓ સહિતના લોકો દ્વારા જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરેલા રહે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવદ થાય છે તે ઉપરાંત ગંદકી પણ હોય છે આ બાબતે મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી મહિલાઓ, બાળકો સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ખાનગી પ્લોટની અંદર જે વરસાદી પાણી ભરાયેલા રહે છે તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને તેઓના વિસ્તારમાં સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News