મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શ્રીમતી જે. એલ. મહેતા વિદ્યાલય-મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ તેમજ અન્ય નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “વ્યસન છોડો, જીવન બચાવો” ના નારા લગાવી વ્યસનમુક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. શાળાના સંચાલક શ્રી જયેશભાઈ એલ. મહેતા, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




Latest News