મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ


SHARE





મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશની દેખરેખ અને નિભાવા માટે કોઈ બેદરકારી ન રહે તેના માટે 5 કોર્પિરેટરનો સમાવેશ કરીને કુલ 7 લોકોની મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી હતી જેને શુક્રવારે મળેલ સામાન્ય સભાની બેઠકમાં મેયરના સ્થાનેથી એજન્ડા લઈને બરખાસ્ત કરવામાં આવેલ છે અને નંદીઘરની જવાબદીર મોરબી મહાપાલિકાના આરોગ્ય ચેરમેનને સોંપવામાં આવેલ છે.

થોડા સમય પહેલા મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થતા હોવાથી ચોમાસાને ધ્યાને લઈને નંદીઘરના સંચાલન માટે ખાસ કાર્યકારી મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા તેમજ સભ્ય સચિવ તરીકે એએનસીડી શાખાના અધ્યક્ષ વિપુલભાઈ છૈયા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ દિલીપભાઈ રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો જોકે, આ ટીમની રચના કરવામાં આવી તે પહેલા કોર્પોરેટરોને વિશ્વાસમાં લેવામાં આવેલ ન હતા જેથી તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો હતો

તેવામાં શુક્રવારે મહાપાલિકામાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જુદા જુદા એજન્ડાઓ પૂરા થયા બાદ મેયરના સ્થાનેથી કેટલાક એજન્ડાઓ લેવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘરમાં ગૌવંશોની દેખરેખ અને નિભાવ માટે થઈને પાંચ કોર્પોરેટરનો સમાવેશ કરીને કુલ 7 સભ્યોની એક મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી હતી અને તેના બરખાસ્ત કરવામાં આવેલ છે અને નંદીઘરની જવાબદારી હવે મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેનને સોંપવામાં આવી છે.




Latest News