મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે


SHARE







મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વીઝા) ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.

મોરબીના મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ આવતીકાલે તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

પશુપાલન વિભાગની માર્ગદર્શિકા જાહેર

વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. પશુપાલન વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટા સાથે બાંધી ન રાખવા જેથી મુશ્કેલીના સમયે તેઓ પોતાની જાતે બચાવ કરી શકે. આ ઉપરાંત પશુઓને મોટા ઝાડ, નબળા છાપરા, જર્જરીત મકાન, કાચી દીવાલ કે વીજળીના થાંભલા પાસે ક્યારેય ન બાંધવા જોઈએ. ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ બંધિયાર જગ્યામાં ગૂંગળાઈ ન જાય તેની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કોઈ પણ કટોકટીના સમયે સહાય માટે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News