મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ છે તેવી જ રીતે આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાની ઘાર્મિક કાર્યક્રમ સાથે ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રાતનેશ્વરી દેવીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સવારે ગુરુ પૂજન અને દર્શનનો ગુરુ ભક્તોએ લાભ લીધેલ હતો. ત્યાર બાદ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરૂ ભાવેશ્વરી માતાજી)નો સત્સંગ યોજાયો હતો અને ત્યાર બાદ કુંવારીકા પૂજન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યકમો યોજાયો હતો. અને ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ ઘાર્મિક કાર્યકમને સફળ બનાવવા માટે ભાવેશ્વરી માતાજી અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના માર્ગદર્શન હેઠળ મુકેશ ભગત, દિલીપ ભગત સહિતના સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.