મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ


SHARE







શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મૂકવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ છે તેને ચાલુ કરવામાં આવતી નથી અને રોડ ઉપર ગૌવંશ આવી જતાં હોવાથી નાના-મોટા અકસ્માતો થતા હોય છે જેમાં ખાસ કરીને ટ્રક ડમ્પર જેવા ભારે વાહનો નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ગૌવંશો તેની સાથે અવારનવાર અથડાતાં હોય ઘણી વખત ગૌવંશનું મોત નીપજે છે તો વાહન ચાલકોના વાહનોમાં નુકશાન થાય છે અને લોકોને શરરિક ઇજાઓ પણ થાય છે જેથી વહેલી તકે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર અવારનવાર અકસ્માતો થતા હતા જેથી કરીને અગાઉ સ્ટ્રીટ લાઈટો મૂકવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો પછી નેશનલ હાઈવે રોડ ઉપર જે ગ્રામ્ય વિસ્તાર આવે છે તેમાં ખાસ કરીને લાલપર, મકનસર, રફાળેશ્વર વગેરે જગ્યાનેશનલ હાઈવે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી છે પરંતુ લાલપર ગામ પાસે મુકવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં પડી છે અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે જેમાં ખાસ કરીને રજડતા ગૌવંશો નેશનલ હાઈવે રોડ ઉપર આવી જતા હોવાથી ટ્રકમ ટ્રેલર, ડમ્પર જેવા વાહનો સાથે અવારનવાર અથડાતા હોય છે જેથી કરીને ગૌવંશને ઇજા થાય અથવા તો તેનું મોત નીપજતું હોય છે આટલું જ નહીં પરંતુ વાહન ચાલકોના વાહનમાં નુકસાન થાય છે તેની સાથોસાથ વાહન ચાલકોને પણ શારરિક ઘણી વખત ઇજાઓ થતી હોય છે જેથી આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ગૌવંશોને ત્યાંથી ખસેડવા માટેની નક્કર કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો સહિતના લોકોની લાગણી અને માંગણી છે.






Latest News