મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

હળવદ પત્રકાર એસો. દ્વારા આગામી તા. 2/8/2026 ના રોજ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રઘુવંશી મહાજન વાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ અને સંકલ્પ કેમ્પનો ત્રિવેણી સંગમ કરવામાં આવેલ છે આ તકે , મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હળવદ પત્રકાર એસો. દ્વારા હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી ધક્કા ન ખાવા પડે અને પોતાના આંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ મળી રહે તે માટે યુવાનોને પોતાના પરિવારના વડીલો અને જરૂરિયાતમંદોને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે. કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને દવાઓ આપવામાં આવશે, દર્દીને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે અને રક્તદાનની સાથે અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવા અને સંકલ્પ ફોર્મ ભરવાનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ડો. સેતુ જાસાણી, ડો. નિલેશ ચૌહાણ, ડો. આકાશ કુંડારિયા, ડો. નેન્સીબેન પટેલ, ડો. વિધિબેન પટેલ, ડો. અંકેશ પટેલ, ડો. અંકિત પટેલ, ડો. નિધિબેન વ્યાસ, ડો. અમિત પટેલ, ડો. હાર્દિકકુમાર હડિયાલ અને  ડો. મિલન માલમપરા સેવા આપવાના છે.






Latest News