મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ


SHARE







મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કોઝવે વરસાદના લીધે તૂટી ગયા હતા તેને રીપેર કરવા માટેનુ કામ ત્વરિત શરૂ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક મયુરનગર કોઝવે અને ટીકર ગામ પાસેના કોઝવેને રીપેર કરીને પૂર્વવત કરી દેવામાં આવેલ છે. જેથી આ બંને કોઝ વે ઉપરથી વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે.

ચોમાસાની ઋતુમાં નાગરિકોની સુવિધા અને માર્ગ સંપર્ક જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર "ઝીરો ડિલે"ના અભિગમ સાથે કાર્યરત છે. મયુરનગર કોઝવે પર પાણીના પ્રવાહના કારણે થયેલા નુકસાન બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને સમારકામ પૂર્ણ કરીને તંત્ર દ્વારા ત્વરિત મયુરનગર કોઝવેને વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરી દેવામાં આવેલ છે. આવી જ રીતે મોરબી જિલ્લામાં ગ્રામ્ય સંપર્ક પૂર્વવત રાખવા માટે વહીવટી તંત્ર સતત સક્રિયતા દાખવી રહ્યું છે. જેના ભાગરૂપે હળવદ તાલુકામાં આવેલા ટીકર કોઝવે પર ચોમાસાના કારણે તૂટી ગયો હતો ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરીને રોડને ચાલુ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, કોઝવેનું સમારકામ હાથ ધરાયા બાદ રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ સુરક્ષિત જણાતાં તંત્ર દ્વારા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટીકર કોઝવે ચાલુ થવાના કારણે ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો સહિતનાનો વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો છે.






Latest News