સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ


SHARE





મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ

ગુજરાત સરકાર દરરોજ "સુશાસન" ની વાત કરે છે. પરંતુ રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ પૂરું થયું નથી ત્યાં ખાડા પાડવા લાગ્યા છે અને કેટલીક જગ્યાએ તો મોતનો ખાડો હોય તેવા મોટા મોટા ખાડા પડી ગયા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાકલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, “શાળાઓ, હોસ્પિટલો, જેલ, સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ નિરીક્ષણ કરો છો તો કયારેક રાજકોટ મોરબી રોડનું પણ સરપ્રાઈઝ નિરીક્ષણ કરવાની જરૂર છે.”

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, પંચાસર ચોકડી થી સનાળા, લજાઈ અને ટંકારા પાસેથી રાજકોટ-મોરબીનો "મોર્ડન હાઇવે" પસાર થાય છે તેમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. જે ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોડ બનાવવા માટેનું કામ એક કે બે વર્ષથી નહીં પરંતુ 10 વર્ષથી કરવામાં આવી રહ્યું છે છતાં કામ પૂર્ણ થયું નથી અને જયારે ચોમાસુ આવે ત્યારે રોડ ઉપર થીગડા મારવામાં આવે છે. અને છેલ્લા એક વર્ષથી તંત્ર એક જવાબ આપે છે કે, રાજકોટથી મોરબી રિસરફેસિંગની મંજૂરી મળી ગઈ છે. તો પછી કામ કરવામાં આવતું નથી ?
શું માત્ર ફાઈલોમાં જ કામ કરવાનું છે?

વધુમાં મહેશ રાજકોટિયાઆક્રોશ સાથે જણાવ્યુ હતું કે, ફાઈલોમાં રાચતા અધિકારીઓ, હવે હદ વટાવી ચૂક્યા છે જો 48 કલાકમાં આ રોડની મરામત કરવા માટેનો જરૂરી આદેશ નહીં આપવામાં આવે તો અધિકારીઓની નજરમાં લોકોના જીવની કોઈ કિંમત નથી તે સાબિત થઈ જશે. અને રોડના ખાડાના કારણે કોઈનું મૃત્યુ થશે તો જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે 'બેદરકારીથી મૃત્યુ' નો ગુન્હો દાખલ કરવવામાં આવશે. ત્યારે તંત્રને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં રોડનું કલેકટર સ્થળ નિરીક્ષણ કરી મરામત માટેનો આદેશ કરે, 15 દિવસમાં હાઇવેના રી-સર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવે અને 10 વર્ષની બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News