મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના


SHARE







મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના

મોરબી નજીક ઘૂંટુ ગામ પાસે આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં શુક્રવારે સાંજે કોઈ કારણોસર ગાબડું પડ્યું હતું જેથી કરીને કેનાલમાંથી પાણી કાલિન્દ્રી નદી તરફ વહી ગયું હતું અને કેટલાક ખેડૂતોના ખેતરમાં કેનાલ તૂટવાના લીધે પાણી પણ  ભરાઈ ગયું હતું ત્યાર બાદ શનિવારે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને પ્રત્યક્ષ નિરીક્ષણ સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓએ સાથે સ્થળ ઉપર જ સમીક્ષા કરી હતી.

નર્મદાની બ્રાંચ કેનાલમાં જે સ્થળે ગાબડું પડ્યું હતું ત્યાં સ્થળ તપાસ દરમિયાન કલેક્ટરે કેનાલમાં પાણીનું પ્રમાણ ઘટતાં જ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો છે સાથોસાથ જો આ પાણીના કારણે આસપાસના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોય તો ત્વરિત સર્વે હાથ ધરી સરકારના નીતિ-નિયમો મુજબની કાર્યવાહી કરવા પણ જવાબદાર અધિકારીઓને  સ્પષ્ટ સૂચના આપી હતી. આ તકે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, નર્મદા મોરબી બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર એમ.એ.ખોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News