સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા


SHARE





વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાથી આગળના ભાગમાં છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આ બાબતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (34)એ કાર નંબર જીજે 36 એઆર 7881 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિમસ્ટોન સિરામિકથી થોડા આગળના ભાગમાં ફરિયાદી રિક્ષા નંબર જીજે 3 ઝેડ 4186 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ને કાર ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક ભવાનભાઈ કેણાભાઈ પાંચિયા (55) ને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે છકડો રીક્ષામાં મોરબીથી પાવડર ભરીને તેઓ સરધારકા રોડ ઉપર માલ ખાલી કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલક ભવાનભાઈનું મોત નીપજ્યું છે




Latest News