મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો
મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી
SHARE
મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી
ટંકારા તાલુકાના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાને એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યુરન્સએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં કોર્ટ વીમા કંપનીને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજ અને રૂપિયા પાંચ હજાર ખર્ચના આપવા હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે ટંકારા તાલુકાના રાજાવડ ગામના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાનો એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યોરન્સનો પ્રધાનમંત્રી જીવન જયોત યોજનાઓનો વીમો હતો.જેમાં રમેશભાઈનુ હાર્ટ એટેકથી મરણ થતા જશીબેનને મળતા બે લાખ વીમા કંપનીએ સામાન્ય કારણ જશીબેન અને જયોત્સનાબેનના નામને લીધે વીમો આપવાની ના પાડતા જશીબેનએ મોરબી શહેર-જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેશ દાખલ કરતા નામદાર કોર્ટે એસ.બી.આઇ.લાઇફ ઇન્સ્યોરન્સને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજે સાથે તા.૯-૧-૨૬ થી ચુકવવા અને ૫૦૦૦ ખર્ચ પેટે મંજુર કરેલ છે.ગ્રાહકને કોઇપણ અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.