મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા મોરબીના થોરાળા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ગ્રામજનો સાથે રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપર કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કંઈ તકલીફ ન પડે એ માટે અનેક લોકોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવી જ રીતે સરકાર દ્વારા બાલવાટીકાથી ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે 1650/- રૂપિયા અને ધો.6 થી 8 આઠના વિદ્યાર્થીઓ માટે 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ DBT ડાયરેક્ટ બેનીફિશિયર ટ્રાન્સફર અંતર્ગત વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એ માટે દરેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ જરૂરી છે, જેથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કે જે હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ છે, તેના મેનેજરની શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી.વડસોલાએ મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે શાળામાં કેમ્પ કરવાની રીકવેસ્ટ કરી હતી જેથી બેન્ક દ્વારા શાળામાં આવીને ત્યાં સ્થળ ઉપર જ 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા. જેથી બેંકના અધિકારી અને સ્ટાફનો પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News