મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ


SHARE









મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા વીજ અકસ્માતો નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ચોમાસા દરમ્યાન તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે,  ચોમાસામાં પશુઓને વીજ થાંભલા સાથે બાંધવા નહીં, વીજ પોલથી પશુઓને દૂર રાખવા, વીજ થાંભલા સાથે તાર કે દોરી બાંધીને કપડાં સૂકવવા નહીં, ચોમાસામાં ભેજવાળા વાતાવરણના લીધે વીજ શોક લાગવાની શક્યતા હોય છે. આ સાથે લોકોને વીજ બચત અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો હતો અને સરકાર દ્વારા આપવામાં આવતી 78,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લેવા માટે લોકોને સમજાવ્યા હતા. અને ખાસ કરીને સ્માર્ટ મીટરના મુદ્દે અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, પરંતુ તેમાં ગ્રાહકો સહકાર આપે તે જરૂરી છે. અને આ સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ મુજબ વીજ વપરાશ મોબાઈલ મારફતે ગમે ત્યારે જોઈ શકે છે.






Latest News