મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE





ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડી પાસે પાકીટની ચોરી કરી હોવાની શંકા રાખીને યુવાનને માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે નામ જોગ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (40) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વાડીએ મજૂરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસાએ આરોપીનું પાકીટ ચોરી કર્યું હોવાની શંકા વહેમ રાખીને આરોપીએ રવિભાઈને માથામાં તથા શરીરને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા  (ઉ.વ.૪૨) રહે.મોરબી વિસીપરા કુલીનગર ૧ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, યુવાનની હત્યા કરનારા આરોપીએ યુવાનને માર માર્યા બાદ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યારે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News