હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડી પાસે પાકીટની ચોરી કરી હોવાની શંકા રાખીને યુવાનને માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે નામ જોગ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (40) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વાડીએ મજૂરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસાએ આરોપીનું પાકીટ ચોરી કર્યું હોવાની શંકા વહેમ રાખીને આરોપીએ રવિભાઈને માથામાં તથા શરીરને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા  (ઉ.વ.૪૨) રહે.મોરબી વિસીપરા કુલીનગર ૧ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, યુવાનની હત્યા કરનારા આરોપીએ યુવાનને માર માર્યા બાદ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યારે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News