હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ


SHARE







મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ

તાજેતરમાં સ્કુલ કોલેજ શરૂ થઈ હોઈ ત્યારે મોંઘા ભાવના ચોપડા તથા બોલપેન વગેરે સ્ટેશનરી ખરીદવા લોકો ની મજબુરી હોય ત્યારે મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તા.૧૧, ગુરૂવારે માર્કેટ યાર્ડ માં આવેલ મહાવીર ટ્રેડીંગ ખાતે થી સમસ્ત મોરબી ના જૈન સમાજના ધો.૩ થી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૪૦૦ જેટલા  વિધાર્થીઓ ને વિનામુલ્યે ધોરણ મુજબ ૧૦ થી ૧૫ ફુલ સ્કેપ નોટબુક તથા પાંચ બોલપેન નો સેટ આપવામાં આવેલ છે.

મંડળ દ્વારા દર બે વર્ષ જૈન સમાજ ના દાતાઓના સહયોગ થી ફુલ સ્કેપ નોટબુક, બોલપેન વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે તે ઊપરાંત સાધુ -સાધ્વીજી મહાસતીજી ઓ મોરબી આસપાસ ૩૦ કી.મી. સુધી વિસ્તારમાં સેસ કાળ માં વિહાર કરતા હોય ત્યારે ગોચરી, પાણી, દવા, મેડિકલ ચેકઅપ ની વ્યવસ્થા કરી આપવાનું કાર્ય સહિતની વૈયાવચ સતત ચાલુ છેતેમજ પર્યુષણ પછી દર વર્ષે સ્વામીવત્સલ સંઘ જમણ નું આયોજન કરે છે. અને  વર્ષ દરમિયાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો માં સેવા આપી તથા અનુષ્ઠાન કરવુ, વગેરે કાર્યો કરે છે, નોટબુક વિતરણ કાર્યને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધી, તથા જીતુભાઈ સંઘવી, સુનિલભાઈ, સુધીરભાઈ, દેવેન્દ્રભાઈ, સમીરભાઈ, ગૌતમભાઈ, વગેરે સભ્યો એ ખુબજ સારી સેવા આપી તથા વ્યવસ્થા જાળવી હતી તેમ એક યાદી માં જણાવેલ છે.






Latest News