ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા


SHARE







મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા

મોરબીના ઘુટુ ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાંથી એક યુવાન ગુમ થયો હતો અને મોરબીની નિત્યાનંદ સોસાયટીમાંથી એક યુવાન ગુમ થયો હતો જે બંને ગુમ થયેલા યુવાનની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે યુવાનોને શોધી રહી હતી તેવામાં બંને યુવાન હેમખેમ મળી આવેલ છે.

મોરબીના ઘુટુ ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં મૂળ ધાંગધ્રાના વાવડી ગામના રહેવાસી સુરેશભાઈ માલાભાઇ પરમાર (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમનો દીકરો સુમિત સુરેશભાઈ પરમાર (23) ઘરે કોઈને કશું કહ્યા વગર અચાનક તા 30/5 ના રોજ સવારે 6:00 વાગ્યાથી ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપી હતી દરમિયાન યુવાન હેમખેમ મળી આવેલ છે જેથી તેના પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો

મોરબીમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતો પિયુષ ચંદ્ર્કાંતભાઈ વાળા (26) નામનો યુવાન ગત તા. 30/5 ના રોજ સવારે 8 વાગ્યે બાઇક લઈને કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી ગુમ થયેલ યુવાનના માતાએ ગુમસુધા ફરિયાદ આપી હતી દરમિયાન તે યુવાને હેમખેમ મળી આવ્યો છે અને વધુમાં તપાસ કરી રહેલા પોલીસ કર્મચારી મોમજીભાઈ ચૌહાણ પાસેથી મળતી વિગત પ્રમાણે ગુમ થયેલ યુવાન નોકરી કરે છે સાથે સાઇડમાં તે ટાઇલ્સ વેચાણનું કામ પણ કરતો હતો અને જે માલનું વેચાણ કર્યું હતું તે માલ નુકશાની વાળો હોવાથી પાછો આવેલ હતો જેથી પૈસા કેમ ચુકવાશે તેના ટેન્શનમાં યુવાન ઘરે થી જતો રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના આમરણ ગામે રહેતા મહેશભાઈ નાનજીભાઈ પરમાર (68) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી છે

મહિલા સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામે રહેતા અંજલીબેન સંજયભાઈ સોલંકી (26) નામની મહિલાને તેના પતિ અને સાસુએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબીમાં આવેલ સિમ્પોલો ચોકડી પાસે રહેતા સહોદરીદેવી ભીખાભાઈ ભીલ (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News