અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો


SHARE





વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અકને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર ઉતરપ્રદેશના રહેવાસી યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે અહીંથી વતનમાં રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક ટેન્શનમાં રહેતા આ  યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની પાછળના ભાગમાંથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપુત (32) નામના યુવાને કારખાનાની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર રેલવેના કર્મચારી કરણસિંહ જયવંતસિંહ જાડેજા (26)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રામલોચન રાજપૂતના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને વતનમાં તે રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક સ્ટેશનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા આ યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી દીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News