કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. સંગીતાબેન ને શ્રદ્ધાંજલિ આપી હતી સામાન્ય રીતે ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ખેંચ પડતી હોય છે તેવા સમયે આ પરિવાર રક્તદાન કેમ્પ કરી અને થેલેસેમિયાના બાળકો તેમજ ગરીબ દર્દીઓ માટે મોટી સેવા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં કોરોના કાળ દરમ્યાન 200 જેટલા કોરોનાગ્રસ્ત શબને અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ 72 મી વખત અને યોગ બોર્ડના રૂપલબેન શાહએ 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે નવનીતભાઈ કુંડારીયા, દિવ્યકાન્તભાઈ ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News