વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. સંગીતાબેન ને શ્રદ્ધાંજલિ આપી હતી સામાન્ય રીતે ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ખેંચ પડતી હોય છે તેવા સમયે આ પરિવાર રક્તદાન કેમ્પ કરી અને થેલેસેમિયાના બાળકો તેમજ ગરીબ દર્દીઓ માટે મોટી સેવા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં કોરોના કાળ દરમ્યાન 200 જેટલા કોરોનાગ્રસ્ત શબને અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ 72 મી વખત અને યોગ બોર્ડના રૂપલબેન શાહએ 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે નવનીતભાઈ કુંડારીયા, દિવ્યકાન્તભાઈ ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News