મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન


SHARE







મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન

હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.સુદર્શન ક્રિયા એ એક શક્તિશાળી, લયબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. 'સુ' એટલે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ અને 'ક્રિયા' એટલે શુદ્ધિકરણ. અર્થાત્ આ એક એવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે શરીર, મન અને ભાવનાઓને એક લયમાં લાવીને આંતરિક શાંતિ આપે છે

જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.૧૯-૫ થી તા.૨૪-૫ બપોરે ૩ થી ૬ ફ્લોરા અક્ષર સોસાયટી શોપિંગ, બીજા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા મો.૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડીયા મો.૯૯૨૫૧ ૦૮૪૨૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.






Latest News