મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન


SHARE





મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન

હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.સુદર્શન ક્રિયા એ એક શક્તિશાળી, લયબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. 'સુ' એટલે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ અને 'ક્રિયા' એટલે શુદ્ધિકરણ. અર્થાત્ આ એક એવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે શરીર, મન અને ભાવનાઓને એક લયમાં લાવીને આંતરિક શાંતિ આપે છે

જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.૧૯-૫ થી તા.૨૪-૫ બપોરે ૩ થી ૬ ફ્લોરા અક્ષર સોસાયટી શોપિંગ, બીજા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા મો.૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડીયા મો.૯૯૨૫૧ ૦૮૪૨૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.




Latest News