ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી


SHARE







મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અગાઉના કૌભાડોની જેમ ભીનું સંકેલી ન લેવામાં આવે તે માટે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જેમાં જણાવ્યુ છે કે, મહાપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓની હજારીમાં લાખો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાજરી મશીનમાં મહાપલીકમાં કામ ન કરતાં હોય તેવા કર્મચારીઓની હાજરી ભરીને તેના પગાર લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને ગેરહાજર કર્મચારીઓની હાજરી આંગળીઓ અને અંગૂઠાથી ભરી દેવામાં આવતી હતી. જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તટસ્થ તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

વધુમાં શહેર કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે કે, અગાઉ પાલિકા હતી ત્યારે સિમેન્ટની થેલીઓ લીધેલ હતી જે પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ પાલિક હતી ત્યારે કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે થયેલ કૌભાંડોની માહિતી માટે લેખિતમાં રજૂઆતો કરાઈ હતી તો પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. જેથી ઉપરોકત કૌભાંડો અને હાલમાં સામે આવેલ હાજરી કૌભાંડમાં ભીનું સંકેલી ન લેવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News