મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો
Breaking news
Morbi Today

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું


SHARE











ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું

ભીલવાડાથી ગૌમાતા ના સંરક્ષણ અને તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના પવિત્ર સંકલ્પ સાથે 12 જ્યોતિર્લિંગની અને ચાર ધામ પદયાત્રા પર શક્તિસિંહ નીકળેલ છે અને તેઓ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પહોચ્યા હતા ત્યારે ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભીલવાડાથી શક્તિસિંહ પદયાત્રાએ નીકળ્યા છે તે આશરે 17 હજાર કિલોમીટરની છે અને ખાસ કરીને દેશભરમાં ગૌ સંરક્ષણ અને ગૌમાતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ સાથે યુવાને યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 715 માં દિવસે તેઓ સોમનાથ અને દ્વારિકા દર્શન કરી લીધા છે અને હવે તેઓ જૈન જઇ રહ્યા છે તેવામાં હળવદ ખાતે શક્તિસિંહ પહોચ્યા હતા ત્યારે વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું હળવદ ખાતે સ્થાનિક આગેવાનો, ગૌભક્તો અને યુવાઓ દ્વારા શક્તિસિંહનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ શક્તિસિંહના આ પવિત્ર અભિયાનને બિરદાવ્યું હતું અને તેમની હિંમત તથા સમર્પણની પ્રશંસા કરી હતી.






Latest News