ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE











હળવદના ઘનશ્યામનગર ગામે જલ અર્પણ’, ‘સેવા સેતુઅને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાજ્યના છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને વહીવટી પારદર્શિતા પહોંચાડવાના સરકારશ્રીના સંકલ્પને સાકારે કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઘનશ્યામનગર ગામે જલ અર્પણ દિવસ’, ‘સેવા સેતુઅને આરોગ્ય કેમ્પસાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પેયજળની સુવિધા સુપ્રત કરવાની સાથે સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી વહીવટી પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જલ શક્તિ અભિયાન અંતર્ગત નવનિર્મિત પાણીની યોજનાની વિધિવત જલ અર્પણ વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઘનશ્યામનગર પાણી સમિતિને જલ કળશઅર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંગ્રહ માટે સામૂહિક જલ સંકલ્પલઈ જળ સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જળ અર્પણની સાથે જ ગ્રામજનો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા તપાસણી કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે મોરબી જિલ્લા કાર્યપાલક ઈજનેર અને વાસ્મોના યુનિટ મેનેજર એમ. એસ. દામા, તાલુકા વિકાસ અધિકારી પાર્થભાઈ ગઢવી, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનાગ્રા, અગ્રણી સર્વ વાસુદેવભાઇ સિણોજીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ઝીંઝુવાડિયા, રવજીભાઈ પરમાર તેમજ મેડિકલ ઓફિસર પરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News