ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE











માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

માળિયા તાલુકામાં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર નથી જેથી આ તાલુકાનાં ખેડૂતોને કપાસ વેંચવા માટે મોરબી કે રાજકોટ સુધી જવું પડે છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરીને માળીયા તાલુકામાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છેકે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. દર વર્ષે અહીં નાના-મોટા હજારો ખેડૂતોએ કપાસની ખેતી કરી પોતાની રોજીરોટી ચલાવે છે. પરંતુ તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને પાક વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દુર સ્થિત શહેરોમાં જવું પડે છે. જેથી ખેડૂત હિત અને MSPની સુવિધા સીધી તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે દૃષ્ટિએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને માળિયા તાલુકામાં સીસીઆઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવાં આવેલ છે. અને તેના માટેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News