મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગરમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો 


SHARE











હળવદના ભવાનીનગરમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો 

હળવદના ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો અને હાલમાં હત્યાના આ ગુનામાં સંડોવાયેલ આરોપીને કાલાવાડ ખાતેથી મોરબી એલ.સી.બી.ની ટીમે ઝડપી પડેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટિમ કામ કરી રહી છે ત્યારે ચંદુભાઇ કાણોતરા અને દશરથસિંહ પરમારને મળેલી હકિકત આધારે હત્યાના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ છે કે, હળવદમાં ૨૦૨૧ માં હત્યાનો બનાવ બનેલ હતો જેમાં આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઇ કોળી રહે. હાલ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં હળવદ મુળ રહે. સુરેન્દ્રનગર હાલ રહે જામનગર જીલ્લાના કાલાવાડ વાડી વિસ્તાર વાળાને પકડવામાં આવેલ છે  અને આગળની કાર્યવાહી અર્થે આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે અને આજથી એક માસ પહેલા ભવાનીનગર લાંબી દેરી વિસ્તારમાં રહેતા આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તે ગુનામાં નાસી ગયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે






Latest News