મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ રેસિડેન્સીના રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા મહાપાલિકામાં રજૂઆત


SHARE











મોરબીમાં નીલકંઠ રેસિડેન્સીના રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા મહાપાલિકામાં રજૂઆત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીના લોકો મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રસ્તાની હાલત અતિદયનીય છે અને ત્યાં લોકો ચાલી પણ શકે તેમ નથી તેવી પરિસ્થિતી છે જેથી કરીને રસ્તામાં ભરાયેલ પાણીનો નિકાલ કરીને રસ્તો ચાલવા જેવો બનાવી આપવાની રજૂઆત કરી હતી ત્યારે ડેપ્યુટી કમિશનરે વહેલી તકે તેઓનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી જોકે ખરેખર તેમનો પ્રશ્ન ક્યારે ઉકેલશે તે તો સમય જ બતાવશે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીના લોકો મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીને મળીને રજૂઆત કરી હતી કે, છેલ્લા 25 દિવસથી તેમના વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હોવાને કારણે રસ્તો બંધ છે અને રસ્તા ઉપરથી અવરજવર કરવી જીવના જોખમ સમાન બની ગયેલ છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તેમજ વૃદ્ધે તે રસ્તા ઉપરથી નીકળી શકે તેમ નથી ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જેથી રસ્તા ઉપર ભરાઈ ગયેલ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અને રસ્તા ઉપરથી લોકો અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ માટેની ખાતરી ડેપ્યુટી કમિશનરે આપી હતી.






Latest News