મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ


SHARE











મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ

મોરબીના શનાળા શાનલા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડ રૂપિયા ૩.૫૦ લાખ કબ્જે કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (47)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલજીભાઈ રબારી રહે. સનાળા વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે પોતાની દુકાનેથી મંગળવારે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં હતા જે થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ (૨૫) રહે, શનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ ૩.૫૦ લાખ કબ્જે કર્યા છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કરવામાં આવી હતી.






Latest News