મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક
Breaking news
Morbi Today

માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત


SHARE











માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત

માળીયા શહેરમાં પાલિકાની જગ્યા ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદે દુકાનોને તંત્ર દ્વારા ડીમોલેશન કરીને તોડી પાડવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ કાચી પાકી 44 દુકાનોને તોડી નાખવામાં આવેલ છે જેથી આ દુકાન આધારે ગુજરાન ચલાવતા પરિવારોની રોજગારી છીનવાઇ જતાં તે નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી યુવા કોંગ્રેસના મંત્રીએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઇકબાલભાઈ સુભાનભાઈ સંધવાણીએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા 13 માર્ચના રોજ માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તાર વાગડીયા ગેટ પાસે સરકારી જમીન પર અંદાજીત ૪૪ જેટલી દુકાનનું ડિમોલેશન કરીને તેને તોડી પાડવામાં આવેલ છે અને દબાણ દુર કરાયા છે પરંતુ જે દબાણ કરનાર હતા તેમનુ ગુજરાન તે દુકાનના વ્યવસાય પર ચાલતુ હતું અને દબાણ દુર કરવાના લીધે તેની રોજી રોટી છીનવાઇ ગયેલ છે જેથી પોતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયેલ છે ત્યારે જે નાના ધંધાર્થીઓની દુકાનો તોડવામાં આવેલ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામા આવે અને પાલિકા દ્રારા દુકાનો બનાવીને ભાડેથી આપવામા આવે અથવા તો વ્યવસાયીક હેતુ માટે જમીન ભાડેથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News