મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ


SHARE











મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ

 

મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખે મહા પાલીકાના  કમિશનરને પત્ર લખીને શનાળા ગામે આવેલા ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ કરેલ છે.

રજુઆતમાં જણાવાયેલ છેકે, મોરબી મહાનગરપાલીકા બનેલ છે ત્યારે રાજકોટથી મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારમાં આવવા માટેનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે, શનાળા ગામનું ભગડામામા સર્કલ છે.તેથી લોકહીતમાં વિનંતી છેકે ભગડામામા સર્કલથી ભકિતનગર સર્કલની સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરાવવી જોઇએ, કારણ કે રાત્રીના સમયે મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારનું એન્ટ્રી પોઈન્ટ રોશનીથી ચમકતુ હોઈ તે સારૂ લાગે.તેમજ બહારથી આવતા લોકોને મોરબી મહાનગરપાલીકા બની ગયેલ છે તેવો ભાવ થાય.માટે ત્વરીત ભકિતનગર સર્કલથી ભગડામામા સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવી જોઇએ. કારણે કે, શકત શનાળા ગામ રોડ ઉપર આવેલ છે તેમના લોકોને પણ આ સ્ટ્રીટ લાઈટની રોશનીથી અકસમાત થવાની સંભાવના પણ ઘટશે.તેથી વહેલામાં વહેલી તકે આ બાબતનું નિરાકણ કરાવશો તેવી માંગ મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઇ ફેફરએ કરેલ છે.






Latest News