મોરબીના રાજપર (કુ) પાસે ગાડા માર્ગ ઉપરથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ
મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે લડુગોપાલ રેસ્ટોરન્ટ આવેલ છે જેમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જેથી સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બે બાળ શ્રમિક ત્યાંથી મળી આવતા હાલમાં હોટલના માલિક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી આસપાસમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોય તેવું અગાઉ પણ જુદી જુદી જગ્યાએથી સામે આવ્યું છે તેવામાં મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા છે તેવી હકીકત મળી હતી જેના આધારે સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી કામ કરતા બે બાળ શ્રમિક મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં સરકારી શ્રમ અધિકારી એમ.પી.જોશી (28) દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ નારણભાઈ કોઠારી (54) રહે. 44- સત્કાર બંગ્લોઝ ટોયાટો શો રૂમ પાસે નાના ચિલોડા અમદાવાદ હાલ રહે. મોરબી વાળા સામે બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)- 1986 (સને-2016 માં સુધાર્યા અનુસાર) એક્ટ, ની કલમ 3 (એ) તથા 14 હુકમ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે