મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના રહેવાસીને વિમા કંપની રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સએ વિમો આપવાની ના પડી હતી જેથી મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી ૪,૮૬,૦૧૬ છ ટકાના વ્યાજ સાથે આપવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના વતની ધવલકુમાર મનસુખભાઈ હદવાણી પોતાની મોટર કાર લઈ સુલતાનપર રોડ ઉપર રાત્રે જતા હતા ત્યારે રોડ પર આગળ પથ્થર પડેલ જેની સાથે ગાડી અથડાતા કારમાંથી ઓઈલ બહાર નીકળેલ અને ગીયર બોકસ ચેમ્બરને નુકશાન થયેલ હતું અને અધિકૃત સર્વિસ મેન સાથે ચેક કરાવતા કારને ૫,૦૫,૯૦૧ નું નુકશાન થયેલ છે જેની વિમા કંપની રોયલ સુંદરમ પાસે માંગણી કરતા વિમા કંપનીએ એવુ બહાનુ બતાવેલ કે કારને થયેલ નુકશાન તેમજ ગીયર બોકસને થયેલ નુકશાન તે કલેઈમ સાથે સુસંગત નથી અને થયેલ અકસ્માત અને થયેલ નુકશાન વચ્ચે કોઈ સબંધ નથી માટે ગ્રાહકને વિમો મળે નહી. જેથી ધવલભાઈ હદવાણીએ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરીને ગ્રાહક સુરક્ષા મંડળ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે કહેલ કે ગ્રાહકે તમામ આધાર પુરાવા રજુ કરેલ છે તેમજ તેણે વિમો ભરેલ છે આથી વિમા કંપની વિમો આપવા બંધાયેલ છે. પરંતુ રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સની કોઈ વાત માન્ય ન રાખી અને વિમા કંપનીને ગ્રાહકને રૂપીયા ૪,૮૬,૦૧૬ અને ૫૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ ૪,૯૧,૦૧૬ રૂપીયા ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.






Latest News