સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ


SHARE











મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબીમાં મારામારીનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીને પકડવામાં આવેલ હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં તા ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદીએવી ફરિયાદ કરી હતી કે આરોપીએ તેમના ભાઈના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ છે જેનો ખાર રાખી આરોપીએ ધોકા વડે હુમલો કર્યો હતો અને ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા અને આ કેસમાં ફરિયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ સુખદેવ આર.દેલવાણીયા રોકાયેલ હતા






Latest News