મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ


SHARE











મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબીમાં મારામારીનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીને પકડવામાં આવેલ હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં તા ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદીએવી ફરિયાદ કરી હતી કે આરોપીએ તેમના ભાઈના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ છે જેનો ખાર રાખી આરોપીએ ધોકા વડે હુમલો કર્યો હતો અને ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા અને આ કેસમાં ફરિયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ સુખદેવ આર.દેલવાણીયા રોકાયેલ હતા






Latest News