ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE











ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં પ્રબુદ્ધજનોની ભૂમિકા વિષય ઉપર એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો.કૃષ્ણ ગોપાલજીએ ઉપસ્થિત રહી વિષયની પ્રસ્તાવના મુકી હતી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાંથી પસંદ કરેલા વિવિધ ઉધોગપતિઓ, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શાળા કોલેજના સંચાલકો તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો કૃષ્ણ ગોપાલજીએ ઉપભોગતાવાદના સમયમાં આર્થિક ઉપાર્જનની સાથે સમાજ ઉપયોગી કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો કઈ રીતે કરવા, અહં નહીં વયંનો ભાવ તથા કુટુંબ પ્રબોધન, ભારતીય સંસ્કાર પરંપરા સહિતના મુદાઓ ઉપર હ્રદયસ્પર્શી તેમજ રસપૂર્ણ શૈલીમાં સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News