સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી  ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી


SHARE











મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી  ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

મોરબી શહેરમાં ચોમેર ગંદકી છે ત્યારે આગામી તહેવાર પહેલા ગંદકી દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરીને શહેરને ગંદકી મુક્ત કરીને સફાઈ જાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો કામ નહિ કરવામાં આવે તો ગાંધી  ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને ઘણો સમય થયેલ છે. અને સરકાર તરફથી કોર્પોરેશન બનાવીને ચુંટણી આપવાની વાત કરવામાં આવે છે જો કે, ચુંટણી આપવામાં આવી રહી નથી અને લોકોને સુવિધા મળી રહી નથી જેથી વહેલી તકે ચૂંટણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને હાલમાં મોરબીમાં સફાઈ નામે મીંડું છે, ઠેરઠેર ગટર ઉભરવાની સમસ્યા છે તેમજ ચોમેર ગંદકી છે અને મલેરિયા, ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યું તેમજ વાઈરલ ઇન્ફેકેશનના દર્દીઓથી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ! 

આ ઉપરાંત શહેરના દરેક રસ્તાઓ ઉપર ઢોરોનો  ત્રાસ અને ગટરની ગંદકીને લઈને મોરબીની જનતા હેરાન છે ત્યારે નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જ મોરબીના લોકોને દિવાળી અને બેસતા વર્ષનું ઉજવણી કરશે તેવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે શહેરમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અને વધુમાં તેઓએ કહ્યું છેકે, ધારાસભ્ય છાછવારે સોસીયલ મીડિયામાં કામનો વાતો કરે છે જો કે, કામ નામે મીંડું છે. તેવું લોકો કહી રહ્યા છે. અને સરકારનો પગાર મેળવતા જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ સમજીને લોકોના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોને વહેલી તકે ઉકેલે તે અનિવાર્ય છે નહીં તો ના છૂટકે  જાહેર જનતાને સાથે રાખીને ગાંધી  ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News