મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ઝઘડાનું સમાધાન કરવા સમજાવવા ગયેલા સરપંચને ગાળો આપીને મારી નાખવાની ધમકી


SHARE











ટંકારાના ઓટાળા ગામે ઝઘડાનું સમાધાન કરવા સમજાવવા ગયેલા સરપંચને ગાળો આપીને મારી નાખવાની ધમકી

ટંકારાના ઓટાળા ગામના સરપંચ તેના ગામમાં રહેતા યુવાને અગાઉ ઝઘડો થયો હતો જેના સમાધાન બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે ફરિયાદ કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ દ્વારા સરપંચને જાતિ પ્રત્યે અપમાનિત કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સરપંચ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમાર (35)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા રહે. ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઓટાળા ગામની સીમમાં નિકુલભાઈ નરભેરામભાઈ તથા વાછકપર ગામના રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલિયાને જમીનના રસ્તા બાબતે ઝઘડો થયેલ હતો અને નિકુલભાઇને ફરિયાદી ગામના સરપંચ હોવાથી સમાધાન માટે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી અલ્પેશભાઈ નિકુલભાઈનો કૌટુંબિક ભાઈ હોય તેને સારું નહીં લાગતા તેને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે. અને આ બનાવની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

બે બોટલ દારૂ

મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર નળિયાના કારખાનાની બાજુમાંથી પસાર થઇ રહેલા શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે બે શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનોજભાઈ જયંતીભાઈ આધરોજિયા (20) રહે.  ઇન્દિરાનગર ખોડીયાર માતાજીના મંદિર પાસે મોરબી અને અનિલભાઈ તુલસીભાઈ દલસાણીયા (19) રહે. મદીના સોસાયટી અમરેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News