મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો


SHARE











માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો

માળિયા તાલુકાના એક બે નહીં પરંતુ 30 જેટલા ગામમાં પાણીની સપ્લાઈ માટેના ખીરઈ ગામે આવેલ સંપ ઉપયોગમાં લેવામાં આવે છે તે સંપમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને ત્યાંની મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી ગત મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ હતી જો કે, અધિકારીઓએ ટીમોને કામે લગાડીને આજેથી 30 ગામની પાણી સપ્લાઈ શરૂ કરી દીધેલ છે. જેથી લોકોનો પાણીનો પ્રશ્ન હાલમાં ઉકેલાઈ ગયેલ છે.

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે સવારે 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે માળીયા મિયાણા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને માળીયા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે થી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખીરઈ ગામ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ પાણીના સંપમાં પણ અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી પાણી સપ્લાય માટે ખીરઈના સંપમાં ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર સહિતની તમામ મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી

જેથી કરીને ગત મંગળવારથી ખાખરેચી આસપાસના 12ખીરાઈ પાસેના 8 અને મોટા દહીસરા ગામ પાસેના 10 ગામ આમ કુલ મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ થઈ ગઈ હતી અને નાછૂટકે લોકોને નદી નાલાના પાણીનો પીવાના પાણી તરીકે તથા ઘર વપરાશના પાણી તરીકે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ હતી જેથી કરીને સાંસદ અને ધારાસભ્ય દ્વારા ગઇકાલે માળીયાની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેની અધિકારીઓને સૂચના આપી હતી જેથી રાત દિવસ જોયા વગર કામ કરીને આ સંપને પુનઃ સહરું કરી દેવામાં આવેલ છે.

હાલમાં મોરબીમાં આવેલ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચોડવાડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, માળીયા તાલુકામાં 30 ગામમાં ખીરઈ સંપથી પાણી સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તે સંપ પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાર મૂકવામાં આવેલ પેનલ અને ઇલેક્ટ્રીક મોટર સહિતની મશીનરીમાં નુકશાન થયું હતું જો કે, સંપને તાત્કાલિક ચાલુ કરવા માટે ટીમે રાત દિવસ જોયા વગર કામ કરીને આજથી આ સંપમાંથી જે ગામોને પાણીની સપ્લાઈ કરવા આવે છે તે તમામ ગામોને પાણી મળે તે રીતે સંપ ચાલુ કરી દીધેલ છે.






Latest News