મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી: મોરબી-કચ્છ વચ્ચે આવેલ નેશનલ હાઇવે તૂટી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું


SHARE











મોરબી: મોરબી-કચ્છ વચ્ચે આવેલ નેશનલ હાઇવે તૂટી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું

હાઇવે પર રહેલા નાના વાહનોને પસાર કરાવી રોડ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું, રોડ પર પડેલા મોટા ગાબડા રીપેરીંગ કર્યા બાદ રોડની એક સાઈડ શરૂ કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે છેલ્લા 26 કલાકથી બંધ હતો આ હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને રોડના ભુક્કા બોલી ગયા છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તે માટે થઈને રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નેશનલ હાઈવે રોડની વિઝીટ કરી હતી ત્યારે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને ગઈકાલે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને આજે બપોરના 12 વાગ્યે પણ હજુ અડધા ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે અને લગભગ 26 કલાક જેટલા સમય સુધી નેશનલ હાઈવે રોડ ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર વિઝીટ માં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અધિકારીઓને પદ અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અને આજ સાંજ સુધીમાં કોઈ પણ સંજોગોમાં ગઈકાલે સવારથી બંધ થયેલ નેશનલ હાઈવે રોડને શરૂ કરવા માટે થઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેથી તંત્ર રોડને ચાલુ કરાવવા માટે કામે લાગ્યું છે.






Latest News