મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ


SHARE











મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં સાંસદ ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં સારો વરસાદ પડ્યો હોવાથી સ્થાનિક જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે બંધ થયા છે ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા રાત્રે 9 વાગ્યે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતનાઓની હાજરીમાં કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બે દિવસ પહેલા ઢવાણા ગામે બનેલી દુર્ઘટનાની માહિતી મેળવી હતી ત્યારબાદ 36 કલાકમાં પડેલા વરસાદ અને બચાવ રાહતની જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી હતી અને જરૂરી સુચનાઓ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવી હતી અને વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.




Latest News