ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીના પાછળના ભાગે આવેલા માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા કંચનબેન કનુભાઈ ધુમલ જાતે બ્રાહ્મણ નામના ૬૨ વર્ષીય વૃદ્ધા ફીનાઇલ પી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંચનબેન ધુમલને છેલ્લા એકાદ વર્ષથી મોઢાના ભાગે સતત ચાંદા પડતા હોય અને અનેક દવાઓ લેવા છતાં પણ તેમાં ફેર ન પડતો હોવાથી તેઓ આ બીમારીથી કંટાળી ગયા હતા અને જેને લીધે આવેશમાં આવી જઈને તેઓ બાથરૂમમાં પડેલ ફિનાઈલ પી ગયા હતા.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના જેતપર ગામે રહેતી હેતલબેન દિલીપભાઈ માલણીયાત (ઉમર ૨૨) નામની યુવતી કોઈ કારણોસર સીરપની આખી બોટલ એકી સાથે પી ગઈ હતી જેથી તેણીને જેતપર પીએચસી સેન્ટર ખાતે સારવારમાં લાવવામાં આવી હતી બાદમાં આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ તે બીટ વિસ્તારના જમાદાર વી.એસ.ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

રીક્ષા પલટી જતા ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ સવસેટા નામના ૪૬ વર્ષીય આધેડને માર્ગ અકસ્માતમાં ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી જેમાં સામે આવ્યું હતું કે મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ નજીક આવેલા ત્રિમંદિરની પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં બાબુભાઈ સવસેટાને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જે બાબતે તે બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો અને મૂળ જૂનાગઢનો ગૌતમ ભાવસિંહ એરડા જાતે કોળી નામનો ૨૦ વર્ષનો યુવાન તેના રૂમમાં મોબાઈલનું ચાર્જર લગાવી રહ્યો હતો.તે દરમિયાનમાં તેને શોટ લાગતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News