મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં


SHARE





ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ કારખાનામાં કામ બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવવામાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિઓને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ ફનવેવ કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આકાશ જયસુખભાઈ પરમાર (૧૯) રહે. છતર તેમજ રાજુ બાબુભાઈ ગમારા (૨૦), વિપુલસિંહ દશરથસિંહ જાડેજા (૨૪) અને રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા (૩૨) રહે ત્રણેય વીરવાવ તાલુકો ટંકારા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને આકાશ પરમારને સારવાર માટે રાજકોટ અને અન્ય ત્રણ ઇજા પ્રશ્નોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલ છે અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ પટેલે ચલાવી હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કારખાનામાં કામ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે મારામારીનો બનાવ બન્યો છે તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવ અંગેની જાણ કરવામાં આવી છે

મારા મારતા ઇજા

વાંકાનેરમાં બહુચરાજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના પડવલ ગામે રહેતા પ્રવીણભાઈ મારાભાઈ ખરેખા (૪૫) અને રસિકભાઈ નાથાભાઈ કરેડી (૩૫)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને આ બંને વ્યક્તિને અજાણ્ય શખ્સ દ્વારા ઢિકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીતેશ રાજુભાઈ મુંધવા (૨૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છ




Latest News