મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

રબી તાલુકાના આમરણ ગામે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સો દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગરમાં રહેતા મહેશભાઈ મનસુખભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૪૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી રહે.બંને આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના શાળા ૧૦ વાગ્યાના અરસામાં તે આમરણ પાસે હતા ત્યારે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને જેમ ભાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહેશભાઈ દ્વારા કાસમભાઇ અને ભોલો બંનેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાસે રહેતા ભોળાભાઈ મલાભાઇ દેત્રોજા નામના ૫૫ વર્ષીય આધેડને તેમના ઘેર તેમના પત્ની અને પુત્રો દ્વારા માર મારવામાં આવતા તેમને પણ સારવારમાં લઇ જવાયા હતા.

વાહન અકસ્માતમાં બેને ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા કાનજીભાઈ કાળાભાઈ ઘુમલીયા (૬૪) અને જતીન બેચરભાઈ જેતપરિયા (૩૭) બંને બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંને ઇજાગ્રસ્તોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ઉષાબેન મુકેશભાઈ ચૌહાણ નામની ૩૪ વર્ષની મહિલા હળવદ પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકની ઓચિંતાની બ્રેક મારવામાં આવતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News